આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023: 10 લાખ સુધીની સારવાર મળશે મફત

આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023: 10 લાખ સુધીની સારવાર મળશે મફત

 આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023 : ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા કરવામા આવે છે. આયુષ્માન ભારત યોજનાએ દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે.


આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023

યોજનાનું નામપીએમ આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના)
શરુશ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
લાભહોસ્પિટલોમાં ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ થાય છે.
સત્તાવાર વેબસાઈટhttps://mera.pmjay.gov.in/
હેલ્પલાઈન14555

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ

આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.10 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.

કોણ લાભ લઇ શકે ?

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

કેવી રીતે લાભ મળશે ?

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનામાં નામ ચેક કરો ઓનલાઈન

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના માં તમારૂ નામ ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.pmjay.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
  • આ પ્રોસેસ બાદ નવું પેજ ઓપન થાય એમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code દાખલ કરો અને Generate OTP પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને બોક્સમાં દાખલ કરો અને SUBMIT બટન પર ક્લિક કરો.
  • આ બધી પ્રોસેસ કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારું રાજ્ય સિલેક્ટ કરો.
  • રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category વિકલ્પ માંથી કોઈપણ એક ઑપ્સન સિલેક્ટ કરો.
  • ત્યારબાદ તમારું નામ આ યોજના માં હશે તો તે નવા પેજમાં બતાવશે
  • લાસ્ટમાં Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ખુલશે, આમાં તમે પરિવાર ના સદસ્યોના તમામ નામ ચેક કરી શકો છો.
  • નામ ચેક કર્યા બાદ Get Details પર ક્લિક કરવાનું રહેશે એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે તે લઈને તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિંક :

હોસ્પિટલ ચેક કરોઅહીંથી ચેક કરો
સંપૂર્ણ માહિતીઅહીંથી વાંચો
સરકારી હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
પ્રાઇવેટ હોસ્પિટલ લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
તમારું નામ ચેકઅહીંથી કરો
સત્તાવાર વેબસાઈટhttps://www.pmjay.gov.in/
આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023
આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023